સ્વામી મુક્તાનંદ પરમહંસ ના પુસ્તકોની યાદી youtube 👆
બીજી અન્ય પોસ્ટ જોવા માટે બાજુમાં આપેલા labels લિસ્ટમાં જોઈ શકો છો
સ્વામી મુક્તાનંદ પરમહંસ ના પુસ્તકોની યાદી youtube 👆
બીજી અન્ય પોસ્ટ જોવા માટે બાજુમાં આપેલા labels લિસ્ટમાં જોઈ શકો છો
તુટેલું ચંપલ આ લેખ વાંચીને જો આંખોના ખૂણા આંસુથી ના ભરાય તો સમજવું કે લાગણી કે માનવતા જેવા ગુણો ની ઉણપ છે.
------------------
કેટકેટલીયે અમૂંઝણો અને રાતોની રાતોના ઉચાટથી બકુલભાઇ ત્રાસી ગયા હતા. લૉકડાઉન ક્યારનુંયે ભલે પત્યું હોય પણ તેમની જિંદગીનું લૉકડાઉન હજુયે પત્યું નહોતું. પહેલા નોકરી ગઇ અને પછી ઘરની આર્થિક સ્થિતિ સાવ નબળી બની ગઇ હતી. ‘દુકાળમાં અધિક માસ’ની જેમ જિંદગી રોજે રોજ નવી ઉપાધિઓ લઇને આવતી હતી. બાકી રહી ગયું હતું કે કોરોના થયો અને શરીરનું જોમ પણ લઇ ગયું,,,..! તે પછી તેમની માનસિક હાલત સાવ કથળવા લાગી હતી. જીવવાના બધા જોશ પણ ધીરે ધીરે ઓસરવા લાગ્યા હતા.
‘મારી પાસે પૈસા નથી...!!’ બકુલભાઇ એટલું જ બોલી શક્યા અને હિબકાં ભરાઇ ગયા.
‘અરે, એમાં શું ? પૈસા પછી આપજો પણ આમ તુટેલું ચંપલ થોડું પહેરાય... લાવો... લાવો...!!’ તેના શબ્દોમાં તાજગી હતી.
‘પણ તું મને ક્યાં ઓળખે છે ? અને તારા પૈસા હું તને ક્યારે આપીશ એ પણ ખબર નથી.’ બકુલભાઇ તેની સાથે વાત કરતા થોડા સ્વસ્થ બન્યા.
‘અરે અંકલ તમે ટેન્શન બહુ લો છો... મારી ફી કાંઇ લાખોમાં થોડી છે કે તમે નહી આપો તો હું મરી જઇશ ? આ તમારું ચંપલ સારુ રહેશે તો તમે મને યાદ તો કરશો’ને એટલુંયે ઘણું છે...! લો આ જુનું ચંપલ પહેરો અને તમારું ચંપલ લાવો.’ તેને એક તુટેલું ચંપલ બકુલભાઇને આપ્યું અને પરાણે બકુલભાઇના પગનું ચંપલ લઇ તેના કામે વળગી ગયો.
બકુલભાઇ ત્યાં જ તેની પાસે બેસી ગયા. તે સારી રીતે કામ કરી રહ્યો હતો. બકુલભાઇ થોડી સેકન્ડ પહેલાના ભૂતકાળમાં ગયા અને પોતે ખરેખર શું કરવા જઇ રહ્યા હતા તેનું ભાન થયું...!! હવે વિક્રાંત અને કૃપાનો ચહેરો પણ સ્પષ્ટ દેખાવા લાગ્યો હતો.. તે અત્યારે આ છોકરાને કારણે જ આત્મહત્યાના માર્ગેથી પાછા વળ્યા હતા.
થોડીવારમાં જ તેને તેનું કામ પુરુ કર્યુ, ‘લો અંકલ તમારું ચંપલ..!! હવે બે વર્ષ સુધી આ ચંપલને કંઇ થાય તો મને કહેજો....!!’ તેને બકુલભાઈના ચંપલને જ નહી પણ તેમની જિંદગીને સાંધી આપી હતી.
‘વાહ, સરસ કર્યુ છે તેં...!! હવે કહે કે કેટલા થયા ?’ બકુલભાઇએ તેની ચમકતી આંખોમાં જોઇએ કહ્યું.
‘અંકલ, તમારી પાસે પૈસા જ નથી તો મને શું આપશો ?’ તેના શબ્દોમાં મીઠાશની સાથે સચ્ચાઇ પણ રણકી રહી હતી.
‘સારું, એટલું કહે કે તું ક્યાં મળીશ ?’
‘આ પુલ પર સામે છેડે બેસુ છું...!!’ તેને સહજ રીતે જવાબ આપ્યો.
‘સારુ તો આ પુલ પર ફરી મળે ત્યારે કેટલા આપવાના થશે એ તો કહે...?’ બકુલભાઇ હવે સંપૂર્ણ સ્વસ્થ હતા.
તે થોડીવાર માટે બકુલભાઇની આંખમાં રહસ્યમયી નજરે જોઇ રહ્યો અને પછી બોલ્યો, ‘અંકલ, એક વાત કહું... ગમે તે થાય પણ આ રીતે આ પુલ પર બીજીવાર ન આવતા...મારે બસ એટલું જ જોઇએ છે...!!’ બકુલભાઇ તેના શબ્દોની અને તેની આંખોની ભાષા સમજી ચુક્યા અને સાવ નિ:શબ્દ તેની સામે તાકી રહ્યા. તે તેની ઉંમર કરતા વધુ સમજદાર હતો.
તે ઉભો થયો અને તેને તેની વસ્તુઓ તેના થેલામાં ફરી ગોઠવવા માંડી. બકુલભાઈએ તેમના પગમાં રહેલું પેલું તુટેલું ચંપલ તેને પાછું આપ્યું અને પૂછ્યું, ‘તું સરસ ચંપલ સાંધે છે તો આ જુના ચંપલને કેમ નથી સાંધી દેતો ?’
‘એ મારા પપ્પાની યાદગીરી છે...!’એટલું કહેતા જ તેના આંખમાં ઝળઝળીયા આવી ગયા અને મોં ફેરવી લીધું.
‘કેમ, તારા પપ્પા ક્યાં છે ?’ બકુલભાઇને તેની વાતમાં રસ જાગ્યો.
તેને નદી તરફ મોં રાખીને જ જવાબ આપ્યો, ‘દસ દિવસ પહેલા જ આ નદીમાંથી એમની લાશ મળી હતી...!! એમને આ પુલ પરથી જ આત્મહત્યા કરી હતી... છાપામાં પણ આવ્યું હતું... એમના એક પગનું આ તુટેલું ચંપલ અહીં રહી ગયું હતું... તે અહીં સામે જ વર્ષોથી બુટપૉલિસ કરતા હતા... કોરોનામાં ઘરની હાલત બગડી ગઇ... એ સહન ન કરી શક્યા અને એમને.......!!’ તે રડી રહ્યો હતો.... પણ થોડીવારમાં જ તે ફરી સ્વસ્થ થઇને બોલ્યો, ‘ આ પુલ પર કેટલાય આવે છે અને પોતાની જિંદગી ટુંકાવી તેના પરિવારને અપાર દુ:ખમાં મુકીને એકલા સુખી થવા ચાલ્યા જાય છે... પણ એમને ક્યાં ખબર હોય છે કે એમના ગયા પછી દુ:ખ ઉલ્ટાનું વધે છે...!! એ પછી મને થયું કે હું અહીં જ આમતેમ ફરતો રહીશ અને કોઇપણ આત્મહત્યા કરવા આવે તો તેને બચાવવા હું મથતો રહીશ... કોઇની તુટેલી જિંદગીને ફરી સાંધી આપવા પ્રયત્ન કરીશ....’ તેનો ડૂમો બાઝી ગયો હતો એટલે તે ત્યાંથી ચાલતો થયો.
બકુલભાઇ તેને સાંભળ્યા પછી પોતાની ભૂલ સમજી ચુક્યા હતા અને સરખી રીતે પોતાના સંધાયેલા ચંપલને જોઇને પોતાની ભૂલ બદલ રડી પડ્યાં.
વાયરસ અને માણસની લડાઈની એક અદભૂત નવલકથા
જરૂર વાંચજો 🙏🙏
Offer
Flipkart 👉 Click here
બીજી અન્ય પોસ્ટ જોવા માટે બાજુમાં આપેલા labels લિસ્ટમાં જોઈ શકો છો
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
( श्री कृष्ण की माया )
.
सुदामा ने एक बार श्रीकृष्ण से पूछा, "कान्हा, मैं आपकी माया के दर्शन करना चाहता हूँ, कैसी होती है ?"
.
श्रीकृष्ण ने टालना चाहा, लेकिन सुदामा की जिद पर श्रीकृष्ण ने कहा, "अच्छा, कभी वक्त आएगा तो बताऊंगा।"
.
एक दिन कृष्ण ने कहा–सुदामा ! आओ, गोमती में स्नान करने चलें।
.
दोनों गोमती के तट पर गए। वस्त्र उतारे। दोनों नदी में उतरे। श्रीकृष्ण स्नान करके तट पर लौट आए। पीतांबर पहनने लगे।
.
सुदामा ने देखा, कृष्ण तो तट पर चले गये है, मैं एक डुबकी और लगा लेता हूँ और...
.
जैसे ही सुदामा ने डुबकी लगाई सुदामा को लगा, गोमती में बाढ़ आ गई है, वह बहे जा रहे हैं।
.
सुदामा जैसे-तैसे तक घाट के किनारे रुके। घाट पर चढ़े। घूमने लगे।
.
घूमते-घूमते गांव के पास आए और वहाँ एक हथिनी ने उनके गले में फूल माला पहना दी। सुदामा हैरान...!
.
लोग इकट्ठे हो गए। लोगों ने कहा, "हमारे देश के राजा की मृत्यु हो गई है। हमारा नियम है, राजा की मृत्यु के बाद हथिनी, जिस भी व्यक्ति के गले में माला पहना दे, वही हमारा राजा होता है।
.
हथिनी ने आपके गले में माला पहनाई है, इसलिए अब आप हमारे राजा हैं।"
.
सुदामा हैरान हुए, मैं राजा बन गया। एक राजकन्या के साथ उनका विवाह भी हो गया। दो पुत्र भी पैदा हो गए।
.
एक दिन सुदामा की पत्नी बीमार पड़ गई, आखिर में मर गई। सुदामा दुख से रोने लगे, उसकी पत्नी जो मर गई थी, जिन्हें वह बहुत चाहता था, सुंदर थी, सुशील थी।
.
लोग इकट्ठे हो गए, उन्होंने सुदामा को कहा, आप रोएं नहीं, आप हमारे राजा हैं। लेकिन रानी जहाँ गई है, वहीं आपको भी जाना है, यह मायापुरी का नियम है।
.
आपकी पत्नी को चिता में अग्नि दी जाएगी। आपको भी अपनी पत्नी की चिता में प्रवेश करना होगा। आपको भी अपनी पत्नी के साथ जाना होगा।
.
यह सुनकर तो सुदामा की सांस रुक गई, हाथ-पांव फूल गए, अब मुझे भी मरना होगा, मेरी पत्नी की मौत हुई है, मेरी तो नहीं, भला मैं क्यों मरूँ, यह कैसा नियम है ?'
.
सुदामा अपनी पत्नी की मृत्यु को भूल गये। उसका रोना भी बंद हो गया। अब वह स्वयं की चिंता में डूब गये, कहा भी, 'भई, मैं तो मायापुरी का वासी नहीं हूँ।
.
मुझ पर आपकी नगरी का कानून लागू नहीं होता, मुझे क्यों जलना होगा ?
.
लोग नहीं माने, कहा, 'अपनी पत्नी के साथ आपको भी चिता में जलना होगा, मरना होगा, यह यहाँ का नियम है।
.
आखिर सुदामा ने कहा, 'अच्छा भई, चिता में जलने से पहले मुझे स्नान तो कर लेने दो,'
.
पहले तो लोग माने नहीं। फिर बात मान उन्होंने हथियारबंद लोगों की ड्यूटी लगा दी।
.
सुदामा को स्नान करने दो, देखना कहीं भाग न जाए। रह-रह कर सुदामा रो उठते।
.
सुदामा इतना डर गये कि उनके हाथ-पैर कांपने लगे, वह नदी में उतरे, डुबकी लगाई और फिर जैसे ही बाहर निकले उन्होंने देखा, मायानगरी कहीं भी नहीं...
.
किनारे पर तो कृष्ण अभी अपना पीतांबर ही पहन रहे थे और वह एक दुनिया घूम आये है। मौत के मुँह से बचकर निकले हैं।
.
सुदामा नदी से बाहर आये और सुदामा रोए जा रहे थे। श्रीकृष्ण हैरान हुए, सबकुछ जानते थे फिर भी अनजान बनते हुए पूछा,
.
"सुदामा तुम रो क्यों रो रहे हो?"
.
सुदामा ने पूछा, "कृष्ण मैंने जो देखा है, वह सच था या यह जो मैं देख रहा हूँ ?"
.
श्रीकृष्ण मुस्कराए और कहा, "जो देखा, भोगा वह सच नहीं था, भ्रम था, स्वप्न था, माया थी मेरी और जो तुम अब मुझे देख रहे हो यही सच है।
.
मैं ही सच हूँ। मेरे से भिन्न, जो भी है, वह मेरी माया ही है और जो मुझे ही सर्वत्र देखता है, महसूस करता है, उसे मेरी माया स्पर्श नहीं करती।
.
माया स्वयं का विस्मरण है माया अज्ञान है, माया परमात्मा से भिन्न, माया नर्तकी है नाचती है..नचाती है।"
.
जो प्रभु श्रीकृष्ण से जुड़ा है, वह नाचता नहीं, भ्रमित नहीं होता। माया से निर्लेप रहता है।
.
वह जान जाता है, सुदामा भी जान गये थे, जो जान गया वह श्रीकृष्ण से अलग कैसे रह सकता है।
जय जय श्री राधे
●▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬●
*🔥HAR HAR MAHADEV🔥*
*🌹जय श्री कृष्णा🔥*
માસ્ક પહેરવાની શપથ લઈને તમારા નામનું સર્ટિફિકેટ ડાઉનલોડ કરો
એક બહેન દરરોજ દેરાસર જતા. એક દિવસ તેણે પૂજારીને કહ્યું કે હવેથી તે દેરાસર નહીં આવે.
પૂજારીએ તેને કારણ પૂછ્યું.
ત્યારે બહેન બોલ્યા "હું જોઉં છું કે દેરાસર આગળ લોકો ફોન પર સતત પોતાના નોકરી - ધંધાની વાત કરતા હોય છે. કેટલાકે તો દેરાસર ને જ પોતાની ગુસપુસનું સ્થાન બનાવી દીધું છે. ઘણાં પૂજા ઓછી ને દેખાડો વધારે કરે છે.“
પૂજારીએ તેની વાત ધ્યાન થી સાંભળી કહ્યું, "ઠીક છે. પણ અંતિમ નિર્ણય લેતા પહેલા મારી એક વાત માનશો ?"
બહેન બોલ્યા, "હા, કહો મારે શું કરવાનું છે?"
પૂજારીએ કહ્યું," એક ગ્લાસ પાણી ભરી લો અને તે હાથમાં પકડી ૩ વાર દેરાસર પરિસરની પ્રદક્ષિણા કરી લો. શરત એટલી કે ગ્લાસમાં થી બિલકુલ પાણી ઢોળાવું જોઈએ નહીં."
મહિલાએ કહ્યું, "સારુ, હું એ મુજબ કરીશ. "
પછી થોડી વારમાં મહિલાએ પૂજારીના કહ્યા પ્રમાણે કરી બતાવ્યું. પાછી ફરેલી મહિલાને પૂજારીએ ત્રણ સવાલ પૂછ્યા -
૧. શું તમે કોઈને ફોન પર વાત કરતા જોયાં?
૨. શું તમે કોઈને મંદિરમાં ગુસપુસ કરતાં જોયાં?
૩. શું કોઈને પાખંડ કરતાં જોયાં?
મહિલા બોલી, "ના, મેં આમાંથી કંઈ નથી જોયું"
પૂજારી બોલ્યા, "જ્યારે તમે પ્રદક્ષિણા કરતા હતા ત્યારે તમારું સંપૂર્ણ ધ્યાન ગ્લાસ પર કેન્દ્રીત હતું જેથી તેમાંથી પાણી છલકાઈ ન જાય, એથી તમને બીજું કંઈ દેખાયું નહીં.
હવે જ્યારે પણ દેરાસર આવો ત્યારે તમારું સંપૂર્ણ ધ્યાન પરમાત્મામાં કેન્દ્રિત કરજો તો તમને આસપાસ નું કંઈ દેખાશે નહીં. માત્ર ભગવાન જ સર્વત્ર નજરે ચડશે. "
જીવનમાં દુ:ખો માટે કોણ જવાબદાર છે ?
ના ભગવાન
ના ગ્રહ - નક્ષત્રો
ના ભાગ્ય
ના સગાસંબંધીઓ
ના પાડોશી
ના સરકાર
જવાબદાર તમે પોતે જ છો.
તમારો માથાનો દુખાવો નકામા વિચારોનું પરિણામ છે.
તમારો પેટનો દુખાવો ખરાબ કે ખોટું ખાવાનું પરિણામ છે.
તમારું દેવું જરૂરત કરતા વધુ ખર્ચનું પરિણામ છે.
તમારું દુર્બળ, જાડું, બીમાર શરીર ખોટી જીવનશૈલીનું પરિણામ છે.
તમારા કોર્ટ કેસો તમારા અહંકારનું પરિણામ છે.
તમારા નકામા વિવાદો વધુ અને વ્યર્થ બોલવાનું પરિણામ છે.
ઉપરોકત કારણો સિવાય પણ એવા બીજા સેંકડો કારણ છે જેનાથી પ્રેરાઈ તમે વગર કારણે અન્યો પર દોષારોપણ કર્યા કરતા હોવ છો. આમાં ઇશ્વરનો કોઈ વાંક નથી. જો આપણે આ કષ્ટોના મૂળ કારણોનો બારીકાઈથી વિચાર કરીએ તો જણાશે કે ક્યાંક ને ક્યાંક તેની પાછળ આપણી પોતાની કો!ઈક મૂર્ખામી જવાબદાર છે.
*સર્વે નું જીવન પ્રકાશમય અને શુભ બની રહો....*
🌷🙏🏻🌷
Flipkart offer👉Click here
બીજી અન્ય પોસ્ટ જોવા માટે બાજુમાં આપેલા labels લિસ્ટમાં જોઈ શકો છો