Tuesday, September 8, 2020

તાલુકા શ્રેષ્ઠ શિક્ષક પસંદગી ઇન્ટરવ્યૂ

તાલુકા શ્રેષ્ઠ શિક્ષક પસંદગી ઇન્ટરવ્યૂ 
નવાનગર પ્રા. શાળા 
ડાયેટ પ્રાચાર્ય :શ્રી આર. કે. પટેલ સર 
વર્ષ :2019-2020


Tuesday, August 25, 2020

Thursday, August 20, 2020

🌺🌺પ્રેરણાદાયી વાર્તા 🌺🌺

 

એક બહેન દરરોજ દેરાસર જતા. એક દિવસ તેણે પૂજારીને કહ્યું કે હવેથી તે દેરાસર નહીં આવે.


પૂજારીએ તેને કારણ પૂછ્યું.

ત્યારે બહેન  બોલ્યા  "હું જોઉં છું કે દેરાસર આગળ લોકો ફોન પર સતત પોતાના નોકરી - ધંધાની વાત કરતા હોય છે. કેટલાકે તો દેરાસર ને જ પોતાની ગુસપુસનું સ્થાન બનાવી દીધું છે. ઘણાં પૂજા ઓછી ને દેખાડો વધારે કરે છે.“


પૂજારીએ તેની વાત ધ્યાન થી સાંભળી કહ્યું, "ઠીક છે. પણ અંતિમ નિર્ણય લેતા પહેલા મારી એક વાત માનશો ?" 

 બહેન બોલ્યા, "હા, કહો મારે શું કરવાનું છે?"

પૂજારીએ કહ્યું," એક ગ્લાસ પાણી ભરી લો અને તે હાથમાં પકડી ૩ વાર  દેરાસર પરિસરની પ્રદક્ષિણા કરી લો. શરત એટલી કે ગ્લાસમાં થી બિલકુલ પાણી ઢોળાવું જોઈએ નહીં."

મહિલાએ કહ્યું, "સારુ, હું એ મુજબ કરીશ. "


પછી થોડી વારમાં મહિલાએ પૂજારીના કહ્યા પ્રમાણે કરી બતાવ્યું. પાછી ફરેલી મહિલાને પૂજારીએ ત્રણ સવાલ પૂછ્યા -


૧. શું તમે કોઈને ફોન પર વાત કરતા જોયાં?

૨. શું તમે કોઈને મંદિરમાં ગુસપુસ કરતાં જોયાં?

૩. શું કોઈને પાખંડ કરતાં જોયાં?

મહિલા બોલી, "ના, મેં આમાંથી કંઈ નથી જોયું"


પૂજારી બોલ્યા, "જ્યારે તમે પ્રદક્ષિણા કરતા હતા ત્યારે તમારું સંપૂર્ણ ધ્યાન ગ્લાસ પર કેન્દ્રીત હતું જેથી તેમાંથી પાણી છલકાઈ ન જાય, એથી તમને બીજું કંઈ દેખાયું નહીં.

હવે જ્યારે પણ દેરાસર આવો ત્યારે તમારું સંપૂર્ણ ધ્યાન પરમાત્મામાં કેન્દ્રિત કરજો તો તમને આસપાસ નું કંઈ દેખાશે નહીં. માત્ર ભગવાન જ સર્વત્ર નજરે ચડશે. "


જીવનમાં દુ:ખો માટે કોણ જવાબદાર છે ?

ના ભગવાન

ના ગ્રહ - નક્ષત્રો

ના ભાગ્ય

ના સગાસંબંધીઓ

ના પાડોશી

ના સરકાર

જવાબદાર તમે પોતે જ છો.


તમારો માથાનો દુખાવો નકામા વિચારોનું પરિણામ છે.


તમારો પેટનો દુખાવો ખરાબ કે ખોટું ખાવાનું પરિણામ છે.


તમારું દેવું જરૂરત કરતા વધુ ખર્ચનું પરિણામ છે.


તમારું દુર્બળ, જાડું, બીમાર શરીર ખોટી જીવનશૈલીનું પરિણામ છે.


તમારા કોર્ટ કેસો તમારા અહંકારનું પરિણામ છે.


તમારા નકામા વિવાદો વધુ અને વ્યર્થ બોલવાનું પરિણામ છે.


ઉપરોકત કારણો સિવાય પણ એવા બીજા સેંકડો કારણ છે જેનાથી પ્રેરાઈ તમે વગર કારણે અન્યો પર દોષારોપણ કર્યા કરતા હોવ છો. આમાં ઇશ્વરનો કોઈ વાંક નથી. જો આપણે આ કષ્ટોના મૂળ કારણોનો બારીકાઈથી વિચાર કરીએ તો જણાશે કે ક્યાંક ને ક્યાંક તેની પાછળ આપણી પોતાની કો!ઈક મૂર્ખામી જવાબદાર છે.


*સર્વે નું જીવન પ્રકાશમય અને શુભ બની રહો....*


  🌷🙏🏻🌷

Flipkart offer👉Click here

બીજી અન્ય પોસ્ટ જોવા માટે બાજુમાં આપેલા labels લિસ્ટમાં જોઈ શકો છો 

Friday, July 3, 2020

💠શિક્ષક બની શકે છે કોરોના સંવાહક !💠આ એક વિચાર છે,વિરોધ નહીં💠

■ શિક્ષક બની શકે છે કોરોના સંવાહક !

~ પ્રવીણસિંહ ખાંટ

ખરેખર ઘરે ઘરે ફરવા વાળો મુદ્દો ફરી વિચારવા જેવો છે.
શિક્ષકો તો કામ કરવા રાજી જ છે પણ દહેશત એ રહે છે કે
ક્યાંક શિક્ષકો કોરોનાના સંવાહક ના બની જાય એ જોવું પડે.

આજે જ એક શિક્ષકે વાત કરતા કહ્યું કે; "અમે હોમલર્નિંગ અંતર્ગત બાળકના ઘરે મુલાકાતે ગયા હતા તો વાલીએ કહ્યું; તમે બ્હારથી આવો છો તો અમને કોરોના થઈ જાય તો ? "
અહીં વાલીની વાત પણ સાચી છે.દરેક પરિવાર પોતાની સુરક્ષા વિચારતો હોય છે.વાયરસ કોઈ લાગણી,ભાવના કે સંબંધોને ઓળખતો નથી માત્ર એ લાપરવાહીને ઓળખે છે.હવે કોણ કેટલી સાવચેતી રાખે છે કોને ખબર ?

ફોનથી બાળકોનો સંપર્ક કરતા કરતા ઘણી જગ્યાએ શિક્ષકો પાસે ઘરે ઘરે મુલાકાત લીધી એના પ્રૂફ માટે ફોટા મંગાવવામાં આવે છે, જે આવા સમયમાં ઉચિત નથી લાગતું.હાલ પોતાની શાળાના બાળકોની ચિંતા દરેક શિક્ષકને સતાવે છે.

શિક્ષક સાધારણ નથી જ,એ દરેક પરિસ્થિતિમાં કામ કરે છે અને કામ કરવા હંમેશ તત્પર રહે છે.ગુજરાતના ઘણા શિક્ષકોએ બાળકોના અભ્યાસની ચિંતા કરી ઈનોવેટીવ આઇડિયાથી બાળકો સુધી પહોંચવાના સરાહનીય પ્રયત્નો કર્યા છે.ઘણા શિક્ષકોએ બાળકના ઘરે જઈ હોમ લર્નિંગ અને પોતાના વિષયના એકમ ભણાવ્યા છે.એમાં હું પણ આવી ગયો.આ બધું સારું છે,ગમે જ પરન્તુ હાલ જે પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ એ જોતા ચિંતા થાય તે સહજ છે.આપણે આપણા પરિવારની સાથે બીજાના પરિવારનું પણ મંગલ કરવાનું છે.

'सर्वजन हिताय, सर्वजन सुखाय
આ વિચારને અમલ મૂકવો પડશે."वसुधैव कुटुंबकम्"ની ભાવનાને કેળવવી પડશે.આપણે આપણું જ માત્ર નહીં,બધાનું સારું આરોગ્ય પ્રાર્થીએ છીએ.

આપણે ત્યાં શાંતી પાઠ છે,
सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः ।
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दुःखभाग्भवेत् ॥

આ તમામ વાતોનો વિચાર કરતા કોવિડ-19 બાબતે સાવચેતીપૂર્ણ અમલીકરણ થાય તે ખૂબ હિતાવહ છે.
શિક્ષણની ચિંતા જરૂરી છે સાથે એટલી જ કોરોના વાયરસની ગંભીરતા પણ જરૂરી છે.

જય શિક્ષણ

નોંધ :- આ એક વિચાર છે,વિરોધ નહીં

~ પ્રવીણસિંહ ખાંટ

Wednesday, July 1, 2020

19 ऊंट की कहानी




🌺🌺19 ऊंट की कहानी🌺🌺




🐪एक गाँव में एक व्यक्ति के पास 19 ऊंट थे। 

एक दिन उस व्यक्ति की मृत्यु हो गयी। 

मृत्यु के पश्चात वसीयत पढ़ी गयी। जिसमें लिखा था कि:

मेरे 19 ऊंटों में से आधे मेरे बेटे को,19 ऊंटों में से एक चौथाई मेरी बेटी को, और 19 ऊंटों में से पांचवाँ हिस्सा मेरे नौकर को दे दिए जाएँ।🐪

सब लोग चक्कर में पड़ गए कि ये बँटवारा कैसे हो ?

19 ऊंटों का आधा अर्थात एक ऊँट काटना पड़ेगा, फिर तो ऊँट ही मर जायेगा। चलो एक को काट दिया तो बचे 18 उनका एक चौथाई साढ़े चार- साढ़े चार. फिर?🐫

सब बड़ी उलझन में थे। फिर पड़ोस के गांव से एक बुद्धिमान व्यक्ति को बुलाया गया।

वह बुद्धिमान व्यक्ति अपने ऊँट पर चढ़ कर आया, समस्या सुनी, थोडा दिमाग लगाया, फिर बोला इन 19 ऊंटों में मेरा भी ऊँट मिलाकर बाँट दो।🐪

सबने सोचा कि एक तो मरने वाला पागल था, जो ऐसी वसीयत कर के चला गया, और अब ये दूसरा पागल आ गया जो बोलता है कि उनमें मेरा भी ऊँट मिलाकर बाँट दो। फिर भी सब ने सोचा बात मान लेने में क्या हर्ज है।🐪

19+1=20 हुए।🐪

20 का आधा 10, बेटे को दे दिए।🐪

20 का चौथाई 5, बेटी को दे दिए।🐪

20 का पांचवाँ हिस्सा 4, नौकर को दे दिए।🐪

10+5+4=19 🐪

बच गया एक ऊँट, जो बुद्धिमान व्यक्ति का था...🐪

वो उसे लेकर अपने गॉंव लौट गया।🐪

इस तरह 1 उंट मिलाने से, बाकी 19 उंटो का बंटवारा सुख, शांति, संतोष व आनंद से हो गया।🐪

सो हम सब के जीवन में भी 19 ऊंट होते हैं।

5 ज्ञानेंद्रियाँ
(आँख, नाक, जीभ, कान, त्वचा)

5 कर्मेन्द्रियाँ
(हाथ, पैर, जीभ, मूत्र द्वार, मलद्वार)

5 प्राण
(प्राण, अपान, समान, व्यान, उदान)

और

4 अंतःकरण
(मन, बुद्धि, चित्त, अहंकार)

कुल 19 ऊँट होते हैं। 

सारा जीवन मनुष्य इन्हीं 19 ऊँटो के बँटवारे में उलझा रहता है।

और जब तक उसमें *मित्र* रूपी ऊँट नहीं मिलाया जाता यानी के दोस्तों के साथ.... सगे-संबंधियों के साथ जीवन नहीं जिया जाता, तब तक सुख, शांति, संतोष व आनंद की प्राप्ति नहीं हो सकती।

यह है 19 ऊंट की कहानी...

♻️♻️♻️♻️♻️♻️♻️🙏🙏🙏♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️

Tuesday, June 30, 2020

ચાઈનીઝ એપના બદલે તમે કઈ કઈ બીજી એપ ઉપયોગમાં લઇ શકો છો એની એક ઝલક જોઈ લો.




🔶🔶🔶🔶🔶CHINESE APP AND THEIR                                ALTERNATIVE APP🔶🔶🔶🔶🔶





ચાઈનીઝ એપના બદલે આપણે તેની બદલીમાં બીજી એવીજ કઈ કઈ એપ વાપરી શકીએ તે જુઓ. 


ચાઈનીઝ એપના બદલે તમે કઈ કઈ બીજી એપ ઉપયોગમાં લઇ શકો છો એની એક ઝલક જોઈ લો.

♻️♻️PDF FILE♻️♻️


�� આ પણ વાંચો ��

પ્રજ્ઞા ટાઈમ ટેબલ PDF

પ્રજ્ઞા ટાઈમ ટેબલ 👉  PDF  ટાઈમ ટેબલ જોવા માટે ક્લિક કરો